ગીતા સંદેશ: જ્યારે અર્જુન સામે પોતાનાં પ્રિયજનો ગંગા પુત્ર ભિષ્મ, કુલગુરૂ કૃપચાર્ય , ગુરૂ દ્રોણ, કે જેને તે અનહદ પ્રેમ કરતાં હતા અને તેનાં કારણે અર્જુન તેઓનો વધ કરી શકે તેમ ના હતા અને તેની સામે યુધ્ધ નો તો વિચાર પણ કરી શકવા માટે અસમર્થ હોય છે અને પોતાનુ ગાન્ડીવ ને નીચે રાખી દુવિધા માં ફસડાઈ પડે છે ત્યારે આવા સમયે ભગવાનશ્રીકૃષ્ણ એ અર્જુન ને આપેલ સંદેશ કંઈક આ હતો ” હે પાર્થ તું જેને સન્માન આપી રહ્યો છે અને જે પ્રિયજનો માટે દુખી છે ઍ દરેક મનુષ્ય એક ના એક દીન આ પૃથ્વી લોક ત્યજવાનું જ છે જેનો જન્મ થયો છે તેનું મૃત્યું નિસ્ચિત જ છે મનુષ્ય માત્ર શરીર નો ત્યાગ કરે છે આત્મા હમેશાં અમર રહે છે આત્મા ને અગ્ની બાળી શક્તી નથીઆત્મા માત્ર શરીર બદલે છે આ સામે દેખાય છે તમામ સ્નેહીઓ તારા જન્મ પહેલાં પણ હતા અને મૃત્યું પછી પણ રહેશે માટે તુ વિશાદ નો ત્યાગ કર અને કર્મ કર ફળ તારા વશ માં નથી તુ ફળ મારા પર છોડી દે ” દેવકીનંદન એ જ્યારે પાર્થને વિરાટ સ્વરૂપ ના દર્શન કરાવ્યા ત્યારે વિરાટ સ્વરૂપ માં પણ કેટલાય શરીર છોડીને જનાર આત્મા ઇશ્વર મા સમાય છે અને બીજી તરફ થી નવો જન્મ લઈ પૃથ્વી પર આવે છે.જો આટલો સંદેશ દરેક મનુષ્ય સમજી જશે ત્યારે જીવનનું સત્ય દરેક મનુષ્ય ને અવશ્ય સમજાઈ જશે. જય શ્રીકૃષ્ણ
-
Recent Posts
Recent Comments
Mr WordPress on Hello world! Archives
Categories
Meta